News Continuous Bureau | Mumbai
પાટનગર દિલ્હી સરકારમાં આ મોટો ફેરફાર થયો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી સરકારમાં પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું છે.
મળતી માહિતી મુજબ, બંને મંત્રીઓના રાજીનામાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વીકારી લીધા છે.
સિસોદિયા દિલ્હીના ઉપમુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી હતા. આ ઉપરાંત તેની પાસે એક્સાઈઝ વિભાગ પણ હતો. સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ 18 વિભાગો હતા. તે 4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં છે. તે જ સમયે, જૈને તેમની ધરપકડના લગભગ 9 મહિના પછી મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
‘આ સમાચાર પણ વાંચો : ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને સુપ્રીમમાંથી ન મળી રાહત, કાઢી ઝાટકણી કહ્યું- ‘સીધા અહીંયા ન આવી જવાય’, જાણો હવે કયો વિકલ્પ છે તેમની પાસે?
મહત્વનું છે કે બંને મંત્રીઓ હાલમાં તપાસ એજન્સીઓની કસ્ટડીમાં છે, ત્યારબાદ બંને પર રાજીનામું આપવાનું દબાણ હતું. CBI દ્વારા રવિવારે જ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, સત્યેન્દ્ર જૈન ચિટ ફંડ કૌભાંડમાં છેલ્લા ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે. ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
Join Our WhatsApp Community