આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

સર્વત્ર જગ્યાએ બીજા વૃક્ષો, વાડ ઝાંખરામાં સદાહરિત વેલ તરીકે ચઢતી જોવા મળે છે. તેના મૂળ તથા પાનમાં આલ્કલોઇડ તત્વ હોય છે. આખા છોડ ઉપર સૂક્ષ્મ રૂંવાટી હોય છે. આ એક સદાબહાર ચડતી વેલ છે.તેના પાંદડા ઈંડા આકારના હોય છે. જે ૩-૧૦ સેમી લાંબા અને ૧.૫-૭ સેમી પહોળા હોય છે. તેનું થડ અતિશય ચીકણું હોય છે. જે લાંબા સમય સુધી ટકે છે.

મુખ્ય રીતે દમવેલ નો ઉપયોગ કફ, અસ્થમા, શરદી, ઉધરસ વગેરેમાં કરવામાં આવે છે.

દમવેલ માં એવા અનેક પોષકતત્વો છે જે સ્વાસ્થ્યને સુધારવા દવા તરીકે કામ આવે છે.

પાન સૂકવીને તેમજ મૂળ-વેલાનો પાવડર પેટના દર્દોમાં, અસ્થમા-દમ અને મરડો મટાડવા માટે વપરાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન