Tuesday, March 21, 2023

રાની મુખર્જી-શાહરુખ ખાનના આ ઈન્ટીમેટ સીન પર આદિત્ય ચોપરાએ કર્યો હતો કરણ જોહર સાથે ઝગડો

કરણ જોહરે ફિલ્મ 'કભી અલવિદા ના કહેના' માં શાહરૂખ ખાન અને રાની મુખર્જીના ઈન્ટીમેટ સીન પર ખુલીને વાત કરી છે.

by AdminZ
aditya chopra fought with karan johar on intimate scene o rani mukerji shahrukh khan

News Continuous Bureau | Mumbai

કરણ જોહર બોલિવૂડના સૌથી સફળ ફિલ્મ નિર્દેશકો માંથી એક છે અને તેણે અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આવી સ્થિતિમાં, તાજેતરના પોડકાસ્ટ દરમિયાન, કરણ જોહરે તેની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ સંબંધમાં એક રસપ્રદ ખુલાસો કર્યો, જેના કારણે તેનો અને રાની ના પતિ આદિત્ય ચોપડા સાથે ઉગ્ર ઝઘડો થયો હતો. વાસ્તવમાં, નિર્માતા આદિત્ય ચોપરાને શાહરૂખ અને રાનીના ઇન્ટિમેટ સીન પસંદ નહોતા અને આ અંગે આદિત્ય અને કરણ વચ્ચે ઝઘડો થયો હતો, જેનો ખુલાસો ખુદ કરણે કર્યો છે.

 

કરણ જોહર અને આદિત્ય ચોપરા નો થયો હતો ઝગડો 

ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ માં  શાહરૂખ ખાન, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, પ્રીતિ ઝિન્ટા અને કિરોન ખેર મુખ્ય ભૂમિકામાં હતા. શાહરૂખ ખાન અને રાનીને ફિલ્મમાં પરિણીત તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જેઓ પોતપોતાના જીવનસાથી સાથે છેતરપિંડી કરે છે અને ઇન્ટિમેટ થાય છે. ફિલ્મમાં બતાવવામાં આવેલા શાહરૂખ ખાન અને રાની મુખર્જીના ઇન્ટિમેટ દ્રશ્યને લઈને કરણ જોહર નો આદિત્ય ચોપરા સાથે ઝઘડો થયો હતો.

 

કરણ જોહરે કર્યો ખુલાસો 

કરણ જોહરે એક પોડકાસ્ટ સાથેની વાતચીતમાં આદિત્ય ચોપરા સાથેની લડાઈને યાદ કરી, તેણે કહ્યું કે આદિત્યને ડર હતો કે ભારતીય દર્શકો કદાચ આ સિક્વન્સ ને નહીં સ્વીકારે. આ વિશે વાત કરતાં કરણે કહ્યું, ‘હું તે સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો અને હું બરફ થી ઢંકાયેલી એક મોટી જગ્યા પર હતો અને આદિએ મને ફોન કર્યો. આદિત્યએ કહ્યું, ‘સાંભળો, હું છેલ્લા કેટલાક દિવસોથી આ વિશે વિચારી રહ્યો છું અને તે મારા મગજમાં વારંવાર આવી રહ્યું છે. મને નથી લાગતું કે તેમની વચ્ચે બોલ્ડ સીન હોવો જોઈએ. મને લાગે છે કે ભારત આને સ્વીકારશે નહીં, તેણે આ વિશે વિચારવું જોઈએ અને પાછળ હટવું જોઈએ.’

 

 કરણ જોહરે આદિત્ય ને લઇ ને કહી આવી વાત 

કરણે આગળ કહ્યું કે તેણે આદિત્યની વાતને નકારી કાઢી અને પોતાનો પક્ષ રાખ્યો અને કહ્યું, ‘હું એવો હતો કે, ‘ના, હું તે કરીશ. તમે કેવી રીતે તે રિલેશનશિપમાં રહી શકો જેમાં તમે સેક્સ ન કરતા હોવ?’ ઘણા સમય પછી, જ્યારે મેં તેના વિશે વિચાર્યું, ત્યારે મને સમજાયું કે આદિત્ય સાચો હતો. વૈકલ્પિક રીતે નહીં, પરંતુ વ્યાપારી રીતે જરૂર યોગ્ય હતો. મને લાગે છે કે દેશે આ પ્રેમ કહાણીને વધુ સ્વીકારી હોત જો તેઓ શારીરિક સંબંધને આગળ ન લાવ્યા હોત.’

 

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous