“દુનિયામાં ગર્જના કરે છે હિન્દુસ્તાન અને ભીખ માંગે છે પાકિસ્તાન”: શાહબાઝ શરીફ પર ભડક્યા પૂર્વ PM

ઇમરાન ખાન શાહબાઝના આ નિવેદનની નિંદા કરી રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે હિન્દુસ્તાન એક તરફ દુનિયા સામે ગર્જના કરી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાન દુનિયાભરમાં ફરીને ભીખ માંગી રહ્યું છે અને તે ભારત સાથેના યુદ્ધને પોતાની ભૂલ ગણીને આખા દેશને શરમાવી રહ્યું છે.

by Dr. Mayur Parikh
'Pakistan PM Sharif travelling to countries with a begging bowl but none giving him a penny': Imran Khan

News Continuous Bureau | Mumbai

કંગાળ થવાની કાંગરે પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝનો UAEથી ભીખ માંગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે “બે દિવસ પહેલા જ UAE થઈને આવ્યો છું. ત્યાંના જે રાષ્ટ્રપતિ છે મારા મોટા ભાઈ મો. બિન ઝાયેદે મારી સાથે ખૂબ પ્રેમ અને સ્નેહભર્યું વર્તન કર્યું. મેં અગાઉ નક્કી કર્યું હતું કે તેમની પાસે પૈસા નહીં માગું, પણ પછી મેં છેલ્લી ક્ષણે નિર્ણય કર્યો અને તેની પાસે પૈસા માંગવાની હિંમત એકઠી કરી. મેં UAE ના રાષ્ટ્રપતિને કહ્યું કે તમે મારા મોટા ભાઈ છો અને મને ખૂબ જ શરમ આવે છે, પણ હું લાચાર છું. તમે મારી પરિસ્થિતિ જાણો છો. તેથી જ તમે મને એક અબજ ડોલર વધુ આપી દો.” પાકિસ્તાની વડાપ્રધાનનો આ ભીખ માંગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી, પૂર્વ પીએમ ઇમરાન ખાને પણ શાહબાઝ પર નિશાન સાધ્યું છે.

ઇમરાન ખાને કહ્યું છે કે આજે પાકિસ્તાન દુનિયાની સામે ભીખ માંગી રહ્યું છે. તે બધા પાસેથી ભીખ માંગી રહ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે દેશમાં આવી સ્થિતિ સર્જી છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાન આજે ભારત સાથે થયેલા યુદ્ધને પણ પોતાની ભૂલ અને હાર સ્વીકારીને આખા દેશને શરમાવી રહ્યું છે. ઇમરાને કહ્યું કે પાકિસ્તાન કહી રહ્યું છે કે હિન્દુસ્તાન સાથે અમે યુદ્ધ કરીને અને હારીને એક પાઠ શીખ્યો છે કે આનાથી કંઈ સારું નથી થવાનું. યુદ્ધ લડીને આપણે આપણા દેશમાં ગરીબી અને ભૂખમરો જ વધાર્યો છે. શાહબાઝ શરીફ વીડિયોમાં કહેતા જોવા મળે છે કે ભારત અમારો પાડોશી છે. અમે વાતચીત દ્વારા શાંતિ સ્થાપિત કરવા માંગીએ છીએ. ઇમરાન ખાન શાહબાઝના આ નિવેદનની નિંદા કરી રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે હિન્દુસ્તાન એક તરફ દુનિયા સામે ગર્જના કરી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાન દુનિયાભરમાં ફરીને ભીખ માંગી રહ્યું છે અને તે ભારત સાથેના યુદ્ધને પોતાની ભૂલ ગણીને આખા દેશને શરમાવી રહ્યું છે.

ઘણા દેશો પાસેથી ભીખ માંગી ચૂક્યું છે પાકિસ્તાન

કંગાળ પાકિસ્તાન માત્ર UAE જ નહીં પરંતુ અમેરિકા, ચીન, રશિયા સહિત અન્ય ઘણા દેશો પાસેથી પણ દયાની ભીખ માંગી ચૂક્યું છે, પરંતુ અત્યાર સુધી તેને માત્ર આશ્વાસન જ મળ્યા છે. જેના કારણે પાકિસ્તાનના લોકો ભૂખે મરવા મજબૂર છે. મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. દરરોજ લાખો લોકો ભૂખ્યા સૂવા મજબૂર છે. પાકિસ્તાનનું પાકું મિત્ર ચીન પણ તેની મદદ કરી રહ્યું નથી. જેના કારણે પાકિસ્તાનમાં ભૂખમરો વધી રહ્યો છે. એટલા માટે હવે સોશિયલ મીડિયામાં મજબૂત અને બુલંદ ભારતની પ્રશંસા થઈ રહી છે. ત્યાંના લોકો પોતાના જ દેશને ભિખારી કહીને શરમ અનુભવી રહ્યા છે. પીએમ શાહબાઝ શરીફની ઘણા દેશોમાંથી ભીખ માંગવા બદલ ટીકા થઈ રહી છે અને પાકિસ્તાનમાં આવી સ્થિતિ સર્જવા માટે તેમને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  કયું ફળ શરદી અને ઉધરસમાં ફાયદાકારક છે અને કયું ફળ વધારી શકે છે સમસ્યા, જાણો સ્વાસ્થ્ય વિશે

પાકિસ્તાનમાં ખાવા-પીવાના ફાંફાં પડી રહ્યા છે

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાંગી છે. હવે તેની પાસે એક પૈસો પણ બચ્યો નથી. લોટ, કઠોળ, ચોખા, શાકભાજી, તેલ અને અન્ય ખાદ્ય ચીજોનો દુકાળ પડ્યો છે. ભાવ આસમાને પહોંચ્યા પછી પણ તેની ઉપલબ્ધતા નથી થઈ રહી. તેથી જ પાકિસ્તાની લોકો લોટ અને દાળ જેવી વસ્તુઓની ચોરી કરવા અને એકબીજા પાસેથી છીનવીને ખાવા માટે લાચાર બની ગયા છે. પાકિસ્તાનમાંથી આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે પોતાના લોકો પાસેથી લોટ, દાળ અથવા અન્ય ખાદ્ય ચીજો છીનવી લેતા અને ચોરી કરતા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સાવ ખાલી થઈ ચુક્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓએ તેના નબળા રેટિંગને જોતા લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ છે. ત્યાં ખાદ્યપદાર્થોની સાથે ઉર્જા સંકટ પણ ઘેરી બન્યું છે. લાહોર અને કરાચી જેવા શહેરોમાં 12 કલાકથી વધુ સમય માટે અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાનમાં હીરો બની ગયા છે પીએમ મોદી

પાકિસ્તાનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પર હીરો અને દબંગ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ જે રીતે ભારતને પ્રગતિના પંથે આગળ વધાર્યું છે અને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે તેના વખાણ કરતા પાકિસ્તાનીઓ થાકતા નથી. ભારતની મજબૂત અર્થવ્યવસ્થા સાથે પણ પાકિસ્તાનના લોકો નેતાઓને અરીસો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદીના મજબૂત વૈશ્વિક નેતૃત્વ અને તેમના પ્રભાવની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો:  ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માટે આ યોગાસન નિયમીત પણે કરો રાહત થશે .

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More