Tuesday, March 21, 2023

મોટી દુર્ઘટના ટળી, ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરનું મુંબઈ દરિયાકાંઠે થયું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેવી છે ક્રૂ મેમ્બરની હાલત..

by AdminK
Indian Navy ALH, on a routine sortie off Mumbai, ditched close to the coast.

News Continuous Bureau | Mumbai

ભારતીય નૌકાદળના એક હેલિકોપ્ટરે મુંબઈ કિનારે અરબી સમુદ્રમાં પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. જોકે રાહતની વાત છે કે ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે.
ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ભારતીય નૌકાદળના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી. આ દરમિયાન તે દરિયાકિનારે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેના કારણે તેને પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. નૌકાદળના પેટ્રોલિંગ જહાજ દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ કામગીરીના પરિણામે ત્રણ ક્રૂ સભ્યોનો સુરક્ષિત બચાવ થયો. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: આને સારી બાબત કહેવાય કે ખરાબ? લોકો ક્રેડિટ કાર્ડ થી બેફામ ખર્ચ કરી રહ્યા છે. આઉટ સ્ટેન્ડિંગ રકમ બે લાખ કરોડ પર પહોંચી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં સેનાનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ પાંચ જવાનોના મોત થયા હતા. જીવલેણ અકસ્માત પછી, સાવચેતીના પગલા રૂપે, દેશની ત્રણેય પાંખમાં સેવા આપતા તમામ ALHs, જેની સંખ્યા 300 થી વધુ છે, સુરક્ષા તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.
Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous