Saturday, March 25, 2023

અટેન્શન મુંબઈકર.. રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક

મુંબઈ લોકલ ( Mumbai Local ) મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવારના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે.

by AdminK
Mega Block on Sunday, Mumbai Local Train Services To Be Affected on Central and Harbour

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ ( Mumbai Local ) મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવારના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. આવતીકાલે એટલે કે રવિવારે મધ્ય રેલ્વે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. સેન્ટ્રલ રેલવેએ રૂટિન મેઇન્ટેનન્સ રિપેરિંગ અને એન્જિનિયરિંગ કામ માટે મેગા બ્લોકની જાહેરાત કરી છે. મધ્ય રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન લોકલ ટ્રેનો સંપૂર્ણપણે બંધ રહેશે અને લાંબા અંતરની ટ્રેનોનો ટ્રાફિક મોડી દોડશે. તેથી, જો તમે આ સપ્તાહના અંતમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેનનું સમયપત્રક જોઈને જ બહાર નીકળ જો.

મધ્ય રેલવે પર વિદ્યાવિહાર અને થાણે વચ્ચે 5 અને 6 લાઇન પર સવારે 11 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી મેગા બ્લોક લેવામાં આવશે. બ્લોક સમયગાળા દરમિયાન લોકમાન્ય તિલક ટર્મિનસથી થાણે અને વિદ્યાવિહાર વચ્ચે ઉપડતી/આવનારી ડાઉન અને અપ મેલ/એક્સપ્રેસ ટ્રેનોને ડાઉન અને અપ એક્સપ્રેસ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને તે સમયપત્રક કરતાં 10 થી 15 મિનિટ મોડી દોડશે.

આ સમાચાર પણ વાંચો : Benefits Of Drinking Turmeric Water: રોજ હળદરનું પાણી પીવો, વધતું વજન નિયંત્રણમાં રહેશે, સાંધાના દુખાવામાં પણ રાહત મળશે

હાર્બર રેલવે પર મેગા બ્લોક

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – ચુનાભટ્ટી/બાંદ્રા હાર્બર લાઇન પર સવારે 11.40 થી સાંજે 4.40 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા- છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ હાર્બર લાઇન પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી બ્લોક રહેશે.

સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ/વડાલા રોડથી વાશી/બેલાપુર/પનવેલ માટે ઉપડતી ડાઉન હાર્બર રૂટની સેવાઓ અને બાંદ્રા/ગોરેગાંવ માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 10.48 વાગ્યાથી 4.43 વાગ્યા સુધી ઉપડતી ડાઉન હાર્બર રૂટ સેવાઓ રદ રહેશે.

પનવેલ/બેલાપુર/વાશીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે સવારે 9.53 થી બપોરે 3.20 સુધી ઉપડતી અપ હાર્બર રૂટની સેવાઓ અને ગોરેગાંવ/બાંદ્રાથી સવારે 10.45 થી સાંજે 5.13 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે ઉપડતી અપ હાર્બર રૂટની સેવાઓ રદ રહેશે. દરમિયાન, બ્લોક સમયગાળા દરમિયાન પનવેલથી કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવાઓ ચલાવવામાં આવશે.

હાર્બર રૂટ પરના મુસાફરોને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના બ્લોક સમયગાળા દરમિયાન મેઈન લાઈન અને પશ્ચિમ રેલવે પર મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous