Tuesday, March 28, 2023

ખુશખબર.. નામિબિયા બાદ હવે દક્ષિણ આફ્રિકામાંથી આવશે 100 ચિત્તા..

મોદી સરકાર નામિબિયા થી 8 ચિત્તા ભારત લાવી છે. ગત વર્ષના સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશના કુનોના એક પાર્કમાં ચિત્તાઓને છોડવામાં આવ્યા હતા. દરમિયાન હવે સમાચાર છે કે 12 થી 14 વધુ ચિત્તાઓ ( big cats ) આફ્રિકાથી ભારતમાં ( India ) લાવવામાં આવશે.

by AdminH
12 South African Cheetahs To Land In India On Saturday

News Continuous Bureau | Mumbai

મોદી સરકાર નામિબિયા થી 8 ચિત્તા ભારત લાવી છે. ગત વર્ષના સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશના કુનોના એક પાર્કમાં ચિત્તાઓને છોડવામાં આવ્યા હતા. દરમિયાન હવે સમાચાર છે કે 12 થી 14 વધુ ચિત્તાઓ ( big cats ) આફ્રિકાથી ભારતમાં ( India ) લાવવામાં આવશે.

દક્ષિણ એશિયાઈ દેશમાં ચિત્તાને ફરીથી રજૂ કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે, દક્ષિણ આફ્રિકાએ ભારતને (પ્રોજેક્ટ ચિતા) 100 થી વધુ ચિત્તા આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નામીબિયાથી આઠ ચિત્તાઓનું આગમન થયા બાદ પર્યાવરણ મંત્રાલયે માહિતી આપી છે કે આવતા મહિને 12 ચિત્તાઓની પ્રારંભિક બેચ ભારત મોકલવામાં આવશે. દરમિયાન, ચિત્તાને ભારતમાં લાવવાનો કરાર ગયા વર્ષથી શરૂ થયો હતો.

પર્યાવરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી આઠથી 10 વર્ષ સુધી દર વર્ષે 12 ચિત્તાઓને ભારતમાં લાવવાની યોજના છે. ભારત એક સમયે એશિયાટિક ચિત્તાઓનું ઘર હતું. જો કે, વર્ષ 1952માં સરકારે આ પ્રજાતિને વિલુપ્ત જાહેર કરી હતી. ભારતમાં ચિત્તાના લુપ્ત થવાનું મુખ્ય કારણ તેમની ચામડીની દાણચોરી માટે શિકાર છે.

2020માં ચિત્તાની આયાત કરવાની સંમતિ

2020 માં, ભારતની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે આફ્રિકન ચિત્તાઓને પ્રાયોગિક ધોરણે દેશમાં કાળજીપૂર્વક પસંદ કરેલ સ્થાનો પર રજૂ કરી શકાય છે. ત્યારબાદ ચિત્તાઓને ભારતમાં પરત લાવવાના પ્રયાસોને વેગ મળ્યો. દક્ષિણ આફ્રિકા સાથેની ડીલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. શરૂઆતમાં, પ્રથમ ચિત્તા ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતમાં આવવાની ધારણા હતી. પરંતુ, આ પ્રક્રિયામાં થોડો સમય લાગ્યો. દરમિયાન, આઠ ચિત્તાઓની પ્રથમ બેચ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  અત્યારના સૌથી મોટા સમાચાર : ભગતસિંહ કોશિયારી પછી આ વ્યક્તિ બની શકે છે મહારાષ્ટ્રના નવા ગવર્નર

ચિત્તા સામેના પડકારો

ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓને કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. ચિત્તાએ ભારતના પર્યાવરણને અનુરૂપ થવું પડે છે. ચિત્તાઓને 24 કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવશે. તેમને 12 કિમીના ખાસ આવાસમાં એકાંતમાં એટલે કે ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. ચિત્તાઓને અહીં પ્રાણીઓનો શિકાર કરવો પડે છે. ભારતમાં જોવા મળતા હરણ આફ્રિકામાં જોવા મળતા નથી. તો સવાલ એ છે કે શું ચિત્તા આ પ્રાણીનો શિકાર કરી શકે છે કે. આ નિરીક્ષણ બાદ ચિત્તાઓને અભયારણ્યમાં છોડવામાં આવશે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous